હું ઘણા દિવસો થી એક ટોપીક ની શોધ માં હતો અને આજે મને એ ટોપીક મળી ગયોછે, કારણ કે એ દિવસ ની રાત ના લીધેજ હું જે લખી રહ્યો છુ એ સંભવ છે. તો આ લેખ એ પાણીપુરી નેનામ. દોસ્તો પાણીપુરી સાથે નો મારો સંબંધ કંઈક એવો છે કે એ મને ખુબજ પસંદ હતી પણકંઈક કારણો સર મારી અને એની દુશ્મની જેવી થઇ ગઈ હતી. કંઈક કારણો ન હતા ફક્ત એક જ કારણહતું એ કારણ એટલે મારું પોતાનું પેટ અને મેં એની સાથે ની દોસ્તી ને તોડી નાખી. ફક્ત આ કારણમાટે...!!! અને ઘણા વરસો પછી ગઈકાલે જયારે મારો અને પાણીપુરી નો સંપર્ક થયો ત્યારે મનેખબર પડી કે મેં શું ગુમાવ્યું હતું આટલા વરસો સુધી. ખબર નહિ કે છેલ્લા ત્રણ દિવસથી રેહવાતું જ નથી મારાથી અને મને એનો જ ખ્યાલઆવ્યા કરે છે. અને જયારે પણ વિચારું છે એના વિશે, મારી આંખો બંધ થઇ જાયે છે, અને જીભ માંથીપાણી નીકળી ને એ પાણી ખરેખર જાણે કોઈ નદી ને મળવા માટે આતુર થતું હોઈ એવી ઈચ્છાઓઅનુભવું છુ. એ દિવસ ની રાત્રે જયારે મેં એમને કહ્યું કે જરાક પાણી પૂરી બનાવો ખાઈ નાખીએપણ એ પાણીપુરી આપવાનો જે સમય હોઈ છે એ ઇન્તઝાર કે જલ્દી આપો, જલ્દીઆપો હવે રહેવાતું નથી. એ એક એક ક્ષણ ઘણી દુખ દાયક હતી. એનું કારણ ઇન્તેઝારન હતો પણ ખરેખર તો થોડા ક્ષણો પછી એ પાણીપુરી જે મારી હતી એ મારા અંદરજતી રહેશે, એ મારા અંદર હોવા છતાં પણ એ મારી નથી રહેવાની એ વાત નું દુખ હતું. અને ઇન્તેઝાર ખતમ થયો અને કોઈના હાથો માં જે હતી અને ઉપરના ભાગમાંથીઅંગુઠા વડે કાણું પડેલ , કાંદા, બટાકા, રગડો(રગડો એટલે કઈ દઉં કે ગરમ ગરમચૂલ્હા પર ઉકળતી પ્લેટ માં રહેલ વટાણા અને મસાલાઓ થી બનેલો અર્ધ પ્રવાહીએવો પીળા કલર નું મિશ્રણ કે જે પાણીપુરીને એમ કેહવાય કે જીવ આપતો હોય) ગળીચટણી અને તીખી ચટણી થી ભરપુર અને બે અર્ધ ગોળને ભેગા કરી ને બનાવેલ હોઈએવી દેખાતી કડ્કડી અને ચટાકેદાર પાણીપુરી જયારે મારી પ્લેટમાં ધબબ્બ્બ્બ....દઈને જયારે પડી ત્યારે એના નાના નાના છીદ્રો માંથી પાણી વહી જઈ ને મારી પ્લેટ માંપડવા લાગ્યું અને પાણી ને રોકી શકાય એ શક્ય તો હતો જ નહિ પણ એક શક્યતાહતી એ પાણી રોકવાની કે બને એટલું જલ્દી થી જો એને ઉઠાવી લઈને એને જ્યાં જવુંછે ત્યાજ જો પહોચાડવામાં આવે તો એ પાણી ને વધુ વહી જતું અટકાવવું શક્ય હતું.અને આ બાબત માં તે વળી આળસ શાની અને વાટ કોની જોવાની મેં મારા આ હાથોથી જ એને ઉઠાવી અને હજી પણ પાણી ના ટીપાઓ તો પાણીપૂરી માંથી નીકળીનેપ્લેટ માં પડતા જ હતા અને તે પાણી ના ટીપા પ્લેટ માના પાણી સાથે પટકાઈ નેબીજા પાંચ ટીપાંઓ બનીને પ્લેટની બહાર પડતા હતા, અને આ ટીપાઓ નો સંપર્કજયારે પ્લેટ સાથે દૂર થી જે હતો એ પણ ગયો ત્યારે તે ટીપાઓ મારા કપડા પર ના પડેએટલા માટે હું મારા આખા શરીર ને પાછળ ધકેલીને ફક્ત મારા શરીરના ગળાઉપરના ભાગને જ આગળ કરી ને કઈ રીતે આ લક્ષ્ય પૂરું કરવું એની મથામણ માં હતો. અને આખરે પાણીપુરીનો અને મારા મોનો સંપર્ક થયો.......સંપર્ક થતાની સાથેજ જે અવાજ થયો કડકડ....અને પૂરી માનું સંપૂર્ણ પાણી ગાળા માં થઇ ને પેટ માં જતું હોઈ અને જાણેકે ઝરણું વહેતું હોઈ તેવું મહેસુસ થયું...અને આ બધું થતું હતું ત્યારે આંખોતો બંધ જ હતી અને જાણેમને ખરેખર જન્ન્ત મળી ગઈ હોઈ કે જો જન્ન્ત કશે હોઈ તો એ આ જ છે એવું થઇ ઉઠયું મારા મનપર. પાણીપુરી માનું પાણી તો પેટ માં જતું જ રહયું હતું પણ જે પુરીના અને એના મસાલાના જે થોડા ઘણા અવશેષો જે બાકી બચયા હતા તે પણ ખબર નથી કે કોઈ શબ્દ નથી મળતા કે શું કહુંએવો અનુભવ કરાવતા હતા. આ આખી procces માં શ્વાસ લેવાનો તો કોઈ મોકોજ મળીયો ન હતો..જેવી આ પાણીપુરી અંદર ગઈ અને બીજું કઈ પણ વિચારું એ પેલા તો બીજો કોઈ હાથ આવીનેમારી પ્લેટ માં ધબબબ્બ...દઈને બીજી પાણીપુરી મૂકી દેતો ....આહ ...આહ. કે એટલી નિરાંત થતીહતી મારા મગજને કે આ સમય ને હું અટકાવી દઉં થોડી ક્ષણો માટે અને ભરપુર લ્હાવો ઉઠાવીલઉં. પણ બધુજ આ જીંદગી માં મળતું નથીને અને જે છે જેટલું છે એટલામાં સંતોષમાનવોજ પડે છે. અને માનવો પણ જોઈએ એમાં કઈ ખોટું નથી, આતો એક જીવન નોભાગ છે. તમને ખબર છે ? કે આ પાણીપુરી ની શોધ ક્યાંથી થઇ અને કોણે કરી, તો હું તમને કહુંકે પહેલા ના જમાનામાં એટલેકે રાજાઓના સમય માં એક વખત એવો આવ્યો હતોકે આખું પ્રજાતંત્ર પેટ ની બીમારીથી પીડાતું હતું, પાચન વ્યવસ્થિત થતું ન હતું અનેરાજા અને પ્રજા બને ખુબજ ચિંતિત હતા આ બાબત વિશે. અને છેવટે રાજા ને એવોવિચાર આવ્યોકે આપને કંઈપણ કરી ને આ બીમારીનો નિકાલ લાવવોજ પડશે એટલેએમણે મરી મસાલા અને ફુદીના યુક્ત પાણી દવાની જેમ પીવડાવવાની જાહેરાત કરીઅને પછી એમને આ બાબત માં ફરક દેખાતો જણાયો. અને ધીરેધીરે એમાં ફેરફારથતાથતા એ પાણી ને પુરી માં ભરી ને આજની તારીખ માં પણ લોકો ને પીરસાઈ છે. છેકે નહિ એક સારી એવી વાર્તા આ પાણીપુરી પાછળ. એ પાણીપુરી વાળા જેમણે મારો જુનો પ્યાર મને પાછો અપાવ્યો એ કઈ ફક્તપાણીપુરી વાળા એક આમ માણસ નથી એમણે B .Ed . પછી M .Ed . નીડીગ્રી મેળવી ને પણ આ ધંધા માં જંપલાવ્યું છે અને હા એ પણ છે કે તેઓ એમના બાપદાદાઓ થી ચાલતો આવતો આ બિજનેસ ને એક સારી એવી પંખો આપવા માંગે છે. ફક્ત પૈસા કમાવવા એ એમનો હેતુ નથી પણ ગ્રાહકો ને મિત્ર કઈરીતે બનાવવા એસૌથી અગત્યની બાબત છે જે આપણે શીખવા જેવી છે. મને ખબર છે કે જયારે હું પાણીપુરી ખાતા મારા દોસ્તોની સાથે ઉભો રહેતો, જયારે મારી દુશ્મની હતી એની સાથે, ત્યારે ફક્ત મારો ને પાણીપુરીનો આંખોથી જ સંબંધ હતો. પાઈનેપલ, ફુદીના, મસાલા, લીંબુ, જલજીરા, ચીકુ અને કેટ કેટલાયએવા અલગ અલગ સ્વાદોમાં પાણીપુરી મારી આંખોની સામે પીરસાતી હતી.પણ હવે બધી બાબતોનો અંત આવી ગયો છે. મેં મારા બધાજ બંધનો ને તોડી નાખીને એક એવી મજાની દુનિયા માં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો અને તેથીજ આજે હું આ મારો રસાળ અનુભવ તમારી સમક્ષ રજુ કરવામાંસફળ થયો છુ. |
Monday, April 11, 2011
પાણી પૂરી અને મારા સંબંધો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment