Friday, April 15, 2011

ભૂતકાળ ના અનુભવો


આ દુનિયા માં ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે. દિવસે અને દિવસે કૈક ને કૈક નવા અનુભવો થયાજ કરે છે. અને એ અનુભવો ને જો ધ્યાનથી વિચારવામાં આવે તો એ ખરેખર કૈક શીખવાડી જાય છે. ભલે ને પછી એ અનુભવો ખરાબ હોઈ કે સારા. આ ખરાબ અને સારા એ બે વચ્ચે નો, કે પછી એ બંને શબ્દો બનાવનાર કોણ ...આપડે જ ને. ખરાબ એટલે શું ? અને સારું એટલે શું ?.... સારું એટલે કે કોઈ ના દ્વારા  કોઈના માટે જો કોઈ પગલું લેવાય અને જો એ પગલું ફાયદાકારક નીકળે સામેવાળા ને માટે તો એ સારું કેહવાય... એવું લોકો સમજે છે.. અને ખરાબ એટલે કોઈના દ્વારા કોઈના માટે જો કોઈ પગલું લેવાય અને જો એ પગલું સામેવાળા ને તકલીફ પોહ્ચાડે તો એ ખરાબ કહેવાય... પણ મારું એવું કહેવું છે કે જો કોઈ માણસ પોતાનું સારું કરવા માટે બીજાનું જો ખરાબ થાય એવી ભાવના રાખે તો એ માણસ નું સારું નહિ થાય, પણ ખરેખર જો આ બાબત પર વિચારવામાં આવે તો એક નવીજ વાત બહાર આવે છે. કે એ માણસ જો પોતાનું સારું ઈચ્છતો હોઈ તો એમાં ખોટું શું છે ? દરેક માણસ ને આ દુનિયા માં પોતાની રીતે જીવવાનો અધિકાર છે અને એ માણસ માણસ પર છે કે એને કઈ રીતે જીવવું છે.

આપણે જયારે પણ કોઈ વ્યક્તિ ને જોઈએ છીએ કે પછી એની સાથે કામ કરીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે આ તો આવો છે અને આતો તેવો છે અને સમય જતા જો એ સારો હશે તો એની સાથે આપણે સંબંધ રાખીશું નહિ તર તોડી નાખીશું કે પછી એની સાથે વાતો બંધ કરી દઈશું. શું ખરેખર આ બરાબર કેહવાય કે નહિ..અને હા એ જે ખરાબ છે એની સાથે આપણે સંબંધ તોડી નાખીએ છીએ પણ એ ખરાબ બીજા કોઈ સાથે તો સંબંધ બાંધશે જ ત્યારે એ જેની સાથે વ્યવહાર રાખશે એની નજર માતો એ સારો જ કેહવાશેને..તો પછી માણસ સારો છે કે ખરાબ એ કેહવું થોડું અજીબ નથી લાગતું, માણસ તો માણસ જ છે સારું કે ખરાબ તો આપણા મગજ માંથી નીકળે છે અને એ આપણા ભૂતકાળ ના અનુભવો પરથી નક્કી થાય છે .હજી હમણાં જ તો આપણે વાત કરી કે આ દુનિયા માં માણસ ને જેવો છે અને જેવી રીતે જીવવું છે એ હક છે બરાબર તો પછી આપણે લોકો જેવા છે એને એવા ને એવાજ આપણે સ્વીકારવા જોઈએ, નહિ કે આ તો આવો છે અને આને તો કઈ નથી ખબર પડતી.. દરેક માણસ માં કઈક ને કઈક ખૂબી તો જરૂર હોઈજ છે અને આપણે એમની એ ખૂબી કે આવડત ને ઓળખવા ની છે અને જીવન જીવવાનું છે..

આ જીવન સારા અને ખરાબ એમ બન્નેં વસ્તુઓ નું અજીબ મિશ્રણ છે. જો બધાજ લોકો સારા હશે અને ખરાબ કોઈજ નહિ હોઈ તો સારા લોકો ની વ્યખ્યાજ નહિ બનતે ને. અને બધાજ ખરાબ હોતે તો એ ખરાબ લોકો પણ પોતા ને સારાજ માનતે ને કેમકે સારા લોકો હોતેજ નહિ એ કેહવા માટે કે તમે ખરાબ છો અને અમે સારા છીએ.

અનુભવ ની માયાજાળ છે આતો બધી, તમે જીવન ને જેટલું સમજો એટલું ઓછુ છે અને એક સવાલ નો જવાબ મળી રે ત્યાતો બીજો સવાલ તૈયારજ હોઈ છે અને અમુક સવાલ તો એટલા મોટા હોઈ છે કે આખી જીંદગી જ નીકળી જાય છે પણ જવાબ તો મળતો જ  નથી.


Monday, April 11, 2011

પાણી પૂરી અને મારા સંબંધો



હું ઘણા દિવસો થી એક ટોપીક ની શોધ માં હતો અને આજે મને  ટોપીક મળી ગયોછેકારણ કે 
દિવસ ની રાત ના લીધેજ હું જે લખી રહ્યો છુ  સંભવ છેતો  લેખ  પાણીપુરી નેનામ.

દોસ્તો પાણીપુરી સાથે નો મારો સંબંધ કંઈક એવો છે કે  મને ખુબજ પસંદ હતી પણકંઈક કારણો સર
મારી અને એની દુશ્મની જેવી થઇ ગઈ હતીકંઈક કારણો  હતા ફક્ત એક  કારણહતું  કારણ
એટલે મારું પોતાનું પેટ અને મેં એની સાથે ની દોસ્તી ને તોડી નાખીફક્ત  કારણમાટે...!!!
અને ઘણા વરસો પછી ગઈકાલે જયારે મારો અને પાણીપુરી નો સંપર્ક થયો ત્યારે મનેખબર પડી કે મેં
શું ગુમાવ્યું હતું આટલા વરસો સુધી.
ખબર નહિ કે છેલ્લા ત્રણ દિવસથી રેહવાતું  નથી મારાથી અને મને એનો  ખ્યાલઆવ્યા કરે છે.
અને જયારે પણ વિચારું છે એના વિશેમારી આંખો બંધ થઇ જાયે છેઅને જીભ માંથીપાણી નીકળી ને
 પાણી ખરેખર જાણે કોઈ નદી ને મળવા માટે આતુર થતું હોઈ એવી ઈચ્છાઓઅનુભવું છુ.

 દિવસ ની રાત્રે જયારે મેં  એમને કહ્યું કે જરાક પાણી પૂરી બનાવો ખાઈ નાખીએપણ  પાણીપુરી
આપવાનો જે સમય હોઈ છે  ઇન્તઝાર કે જલ્દી આપોજલ્દીઆપો હવે રહેવાતું નથી એક એક ક્ષણ 
ઘણી દુખ દાયક હતીએનું કારણ ઇન્તેઝાર હતો પણ ખરેખર તો થોડા ક્ષણો પછી  પાણીપુરી જે મારી 
હતી  મારા અંદરજતી રહેશે મારા અંદર હોવા છતાં પણ  મારી નથી રહેવાની   વાત નું દુખ હતું
અને ઇન્તેઝાર ખતમ થયો અને કોઈના હાથો માં જે હતી અને ઉપરના ભાગમાંથીઅંગુઠા વડે કાણું  પડેલ
કાંદાબટાકારગડો(રગડો એટલે કઈ દઉં કે ગરમ ગરમચૂલ્હા પર ઉકળતી પ્લેટ માં રહેલ વટાણા  અને 
મસાલાઓ થી બનેલો અર્ધ પ્રવાહીએવો પીળા કલર નું મિશ્રણ કે જે પાણીપુરીને એમ કેહવાય કે જીવ આપતો
 હોયગળીચટણી અને તીખી ચટણી થી ભરપુર અને બે અર્ધ ગોળને ભેગા કરી ને બનાવેલ હોઈએવી 
દેખાતી કડ્કડી અને ચટાકેદાર પાણીપુરી જયારે મારી પ્લેટમાં ધબબ્બ્બ્બ....દઈને જયારે પડી ત્યારે એના 
નાના નાના છીદ્રો માંથી પાણી વહી જઈ ને મારી પ્લેટ માંપડવા લાગ્યું અને પાણી ને રોકી શકાય  શક્ય
  તો હતો  નહિ પણ એક શક્યતાહતી  પાણી રોકવાની કે બને એટલું જલ્દી થી જો એને ઉઠાવી લઈને 
એને જ્યાં જવુંછે ત્યાજ જો પહોચાડવામાં આવે તો  પાણી ને વધુ વહી જતું અટકાવવું શક્ય હતું.અને 
 બાબત માં તે વળી આળસ શાની અને વાટ કોની જોવાની મેં મારા  હાથોથી  એને ઉઠાવી અને હજી પણ
 પાણી ના ટીપાઓ તો પાણીપૂરી માંથી નીકળીનેપ્લેટ માં પડતા  હતા અને તે પાણી ના ટીપા પ્લેટ માના 
પાણી સાથે પટકાઈ નેબીજા પાંચ ટીપાંઓ  બનીને પ્લેટની બહાર પડતા હતાઅને  ટીપાઓ નો
 સંપર્કજયારે પ્લેટ સાથે દૂર થી જે હતો  પણ ગયો ત્યારે તે ટીપાઓ મારા કપડા પર ના પડેએટલા માટે હું 
મારા આખા શરીર ને પાછળ ધકેલીને ફક્ત મારા શરીરના ગળાઉપરના ભાગને  આગળ કરી ને કઈ રીતે 
 લક્ષ્ય પૂરું કરવું એની મથામણ માં હતો.

અને આખરે પાણીપુરીનો અને મારા મોનો સંપર્ક થયો.......સંપર્ક થતાની સાથેજ જે અવાજ
થયો કડકડ....અને પૂરી માનું સંપૂર્ણ પાણી ગાળા માં થઇ ને પેટ માં જતું હોઈ અને જાણેકે ઝરણું વહેતું
હોઈ  તેવું મહેસુસ થયું...અને  બધું થતું હતું ત્યારે આંખોતો બંધ  હતી અને જાણેમને ખરેખર
જન્ન્ત મળી ગઈ હોઈ કે જો જન્ન્ત કશે હોઈ તો    છે એવું થઇ ઉઠયું મારા મનપર.


પાણીપુરી માનું પાણી તો પેટ માં જતું  રહયું હતું પણ જે પુરીના અને એના મસાલાના જે થોડા ઘણા
અવશેષો જે બાકી બચયા હતા તે પણ ખબર નથી કે કોઈ શબ્દ નથી મળતા કે શું કહુંએવો અનુભવ
કરાવતા હતા આખી procces માં શ્વાસ લેવાનો તો કોઈ મોકોજ મળીયો  હતો..જેવી 
પાણીપુરી અંદર ગઈ અને બીજું કઈ પણ વિચારું  પેલા તો બીજો કોઈ હાથ આવીનેમારી પ્લેટ માં
ધબબબ્બ...દઈને બીજી પાણીપુરી મૂકી દેતો  ....આહ ...આહકે એટલી નિરાંત થતીહતી મારા
મગજને કે  સમય ને હું અટકાવી દઉં થોડી ક્ષણો માટે અને ભરપુર લ્હાવો ઉઠાવીલઉં.

પણ બધુજ  જીંદગી માં મળતું નથીને અને જે છે જેટલું છે એટલામાં સંતોષમાનવોજ પડે છેઅને માનવો 
પણ જોઈએ એમાં કઈ ખોટું નથીઆતો એક જીવન નોભાગ છે.

તમને ખબર છે ? કે  પાણીપુરી ની શોધ ક્યાંથી થઇ અને કોણે કરીતો હું તમને કહુંકે પહેલા ના જમાનામાં 
એટલેકે રાજાઓના સમય માં એક વખત એવો આવ્યો હતોકે આખું પ્રજાતંત્ર પેટ ની બીમારીથી પીડાતું હતું
પાચન વ્યવસ્થિત થતું  હતું અનેરાજા અને પ્રજા બને ખુબજ ચિંતિત હતા  બાબત વિશેઅને છેવટે રાજા 
ને એવોવિચાર આવ્યોકે આપને કંઈપણ કરી ને  બીમારીનો નિકાલ લાવવોજ પડશે એટલેએમણે મરી
 મસાલા અને ફુદીના યુક્ત પાણી દવાની જેમ પીવડાવવાની જાહેરાત કરીઅને પછી એમને  બાબત માં 
ફરક દેખાતો જણાયોઅને ધીરેધીરે એમાં ફેરફારથતાથતા  પાણી ને પુરી માં ભરી ને આજની તારીખ માં 
પણ લોકો ને પીરસાઈ છેછેકે નહિ એક સારી એવી વાર્તા  પાણીપુરી પાછળ

 પાણીપુરી વાળા જેમણે મારો જુનો પ્યાર મને પાછો અપાવ્યો  કઈ ફક્તપાણીપુરી વાળા એક આમ
 માણસ નથી એમણે B .Ed . પછી M .Ed . નીડીગ્રી મેળવી ને પણ  ધંધા માં જંપલાવ્યું છે અને હા  પણ
 છે કે તેઓ એમના બાપદાદાઓ થી ચાલતો આવતો  બિજનેસ ને એક સારી એવી પંખો આપવા માંગે છે.

ફક્ત પૈસા કમાવવા  એમનો હેતુ નથી પણ ગ્રાહકો ને મિત્ર કઈરીતે બનાવવા સૌથી અગત્યની બાબત છે
 જે આપણે શીખવા જેવી છે.

મને ખબર છે કે જયારે હું પાણીપુરી ખાતા મારા દોસ્તોની સાથે ઉભો રહેતોજયારે
મારી દુશ્મની હતી એની સાથેત્યારે ફક્ત મારો ને  પાણીપુરીનો  આંખોથી  સંબંધ હતો.
પાઈનેપલફુદીનામસાલાલીંબુજલજીરાચીકુ અને કેટ કેટલાયએવા અલગ અલગ
સ્વાદોમાં પાણીપુરી મારી આંખોની સામે પીરસાતી હતી.પણ હવે બધી બાબતોનો અંત આવી ગયો છે.
 મેં મારા બધાજ બંધનો ને તોડી નાખીને એક એવી મજાની દુનિયા માં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો
 અને તેથીજ આજે હું  મારો રસાળ અનુભવ તમારી સમક્ષ રજુ કરવામાંસફળ થયો છુ.