આ દુનિયા માં ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે. દિવસે અને દિવસે કૈક ને કૈક નવા અનુભવો થયાજ કરે છે. અને એ અનુભવો ને જો ધ્યાનથી વિચારવામાં આવે તો એ ખરેખર કૈક શીખવાડી જાય છે. ભલે ને પછી એ અનુભવો ખરાબ હોઈ કે સારા. આ ખરાબ અને સારા એ બે વચ્ચે નો, કે પછી એ બંને શબ્દો બનાવનાર કોણ ...આપડે જ ને. ખરાબ એટલે શું ? અને સારું એટલે શું ?.... સારું એટલે કે કોઈ ના દ્વારા કોઈના માટે જો કોઈ પગલું લેવાય અને જો એ પગલું ફાયદાકારક નીકળે સામેવાળા ને માટે તો એ સારું કેહવાય... એવું લોકો સમજે છે.. અને ખરાબ એટલે કોઈના દ્વારા કોઈના માટે જો કોઈ પગલું લેવાય અને જો એ પગલું સામેવાળા ને તકલીફ પોહ્ચાડે તો એ ખરાબ કહેવાય... પણ મારું એવું કહેવું છે કે જો કોઈ માણસ પોતાનું સારું કરવા માટે બીજાનું જો ખરાબ થાય એવી ભાવના રાખે તો એ માણસ નું સારું નહિ થાય, પણ ખરેખર જો આ બાબત પર વિચારવામાં આવે તો એક નવીજ વાત બહાર આવે છે. કે એ માણસ જો પોતાનું સારું ઈચ્છતો હોઈ તો એમાં ખોટું શું છે ? દરેક માણસ ને આ દુનિયા માં પોતાની રીતે જીવવાનો અધિકાર છે અને એ માણસ માણસ પર છે કે એને કઈ રીતે જીવવું છે.
આપણે જયારે પણ કોઈ વ્યક્તિ ને જોઈએ છીએ કે પછી એની સાથે કામ કરીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે આ તો આવો છે અને આતો તેવો છે અને સમય જતા જો એ સારો હશે તો એની સાથે આપણે સંબંધ રાખીશું નહિ તર તોડી નાખીશું કે પછી એની સાથે વાતો બંધ કરી દઈશું. શું ખરેખર આ બરાબર કેહવાય કે નહિ..અને હા એ જે ખરાબ છે એની સાથે આપણે સંબંધ તોડી નાખીએ છીએ પણ એ ખરાબ બીજા કોઈ સાથે તો સંબંધ બાંધશે જ ત્યારે એ જેની સાથે વ્યવહાર રાખશે એની નજર માતો એ સારો જ કેહવાશેને..તો પછી માણસ સારો છે કે ખરાબ એ કેહવું થોડું અજીબ નથી લાગતું, માણસ તો માણસ જ છે સારું કે ખરાબ તો આપણા મગજ માંથી નીકળે છે અને એ આપણા ભૂતકાળ ના અનુભવો પરથી નક્કી થાય છે .હજી હમણાં જ તો આપણે વાત કરી કે આ દુનિયા માં માણસ ને જેવો છે અને જેવી રીતે જીવવું છે એ હક છે બરાબર તો પછી આપણે લોકો જેવા છે એને એવા ને એવાજ આપણે સ્વીકારવા જોઈએ, નહિ કે આ તો આવો છે અને આને તો કઈ નથી ખબર પડતી.. દરેક માણસ માં કઈક ને કઈક ખૂબી તો જરૂર હોઈજ છે અને આપણે એમની એ ખૂબી કે આવડત ને ઓળખવા ની છે અને જીવન જીવવાનું છે..
આ જીવન સારા અને ખરાબ એમ બન્નેં વસ્તુઓ નું અજીબ મિશ્રણ છે. જો બધાજ લોકો સારા હશે અને ખરાબ કોઈજ નહિ હોઈ તો સારા લોકો ની વ્યખ્યાજ નહિ બનતે ને. અને બધાજ ખરાબ હોતે તો એ ખરાબ લોકો પણ પોતા ને સારાજ માનતે ને કેમકે સારા લોકો હોતેજ નહિ એ કેહવા માટે કે તમે ખરાબ છો અને અમે સારા છીએ.
અનુભવ ની માયાજાળ છે આતો બધી, તમે જીવન ને જેટલું સમજો એટલું ઓછુ છે અને એક સવાલ નો જવાબ મળી રે ત્યાતો બીજો સવાલ તૈયારજ હોઈ છે અને અમુક સવાલ તો એટલા મોટા હોઈ છે કે આખી જીંદગી જ નીકળી જાય છે પણ જવાબ તો મળતો જ નથી.