Wednesday, July 3, 2013

ગાંધીજીની ચંપલ


ગાંધીજીની અને એમના વિશે  ની ઘણી પુસ્તકો વાંચ્યા પછી પણ  આ પુસ્તક એટલેકે "ગાંધીની ચંપલ" ગુણવંત શાહ દ્વારા લિખિત,  યુગ માટે ગાંધીજી કશુક કેહવા માંગતા હોઈ એવું વાંચ્યા પછી અનુભવ થાય છે. આ લખાણ માં મારા અને ગુણવંત શાહ ના વિચારો નો મેળાપ એટલે કે આ પુસ્તક નો સાર મારી દ્રષ્ટિ એ વર્ણવાની એક કોશિશ છે.
ગુણવંત શાહ કહે છે કે,  આ પુસ્તક માં મને જે સત્ય જણાયું તે જ લખ્યું છે ગાંધીજી ને છેતરીને ગાંધીજી પર પુસ્તક લખવાનું શક્ય ખરું? હું ખોટો હોઈ શકું, પરંતુ જુઠું લખી ને સારા દેખાવાનું મને મંજુર નથી. 

મરતા પણ સત્ય ન છોડવું 
સત્યને એટલે ઈશ્વરને છોડીને હિન્દુસ્તાનનું ભલું નથી,  
જે માણસ ઈશ્વરને ભૂલી શકે તે દેશ ને ભૂલી શકે છે – ગાંધીજી 1926

ગાંધીજી ના વિચારો 
અપૂર્ણ હોવું એ મૂળભૂત માનવીય અધિકાર છે.
જે માણસ કદી પણ ભૂલ નથી કરતો તે માણસ નથી.
વિચારવાની ટેવ માણસ હોવાની પૂર્વશરત છે.
આપણા હાથે પગે જે બને તે જ કરવું, હાથ પગ વાપરવામાં જ ખરું સુખ છે.
બોલી શકતો હોવા છતા જે એક પણ નકામો શબ્દ બોલતો નથી તે મોંની છે.
માણસ જે કઈ સારું કરે તે અણકહ્યું રાખવું એ જ બહેતર છે, અનુકરણ એ જ સાચી પ્રશંસા છે.
શાસ્ત્રો માણસ માટે રચાયા છે, માણસ શાસ્ત્રો માટે નથી સર્જાયો.
અંધકાર એટલે ઓછો પ્રકાશ, પ્રકાશ નો અભાવ નહિ કે પ્રકાશ નું અસ્તિત્વ નહિ એવો મતલબ નથી.
અતિરેક થાય ત્યાં અવિવેક હોવાનોજ.
માણસે પોતાની પહોચ કેટલી તે પોતેજ નક્કી કરવું પડે.
આંખ માણસ ને બહાર નું જોવા માટે મળી છે પરંતુ તે જયારે ભીની થાય ત્યારે માણસ પોતાની ભીતર જોઈ શકે છે.
ઈતિહાસ કોઈ ની શરમ નથી રાખતો.
સાર્વજનિક પૈસા નો હિસાબ રાખી ને સમય સમય પર જાહેર કરવા જેવું બીજું કોઈ પવિત્ર કાર્ય નથી. 
આત્મા વિશ્વાસ વિનાનું જીવન એ પાર્ટટાઇમ મૃત્યુ છે અને આત્માગોરવ વિનાનું જીવન એ ફૂલટાઇમ મૃત્યુ છે.
જયારે નિરાશા માં ડૂબી જાઓ ત્યારે યાદ રાખજો કે સમગ્ર ઈતિહાસ માં સદાય સત્ય અને પ્રેમ નો જ હમેશા વિજય થયો છે. 
માનવજાતની સોથી જૂની પ્રિયતમાનું નામ ભૂલ છે, અપૂર્ણ હોવું એ તો માનવી હોવાની સોથી મજબુત સાબિતી છે.
રામ એક વિચાર નું નામ  છે અને વિચાર ને મૃત્યુ હોતું નથી. 
હજારો માઈલ ની યાત્રા એક ડગલાથી જ શરુ થાય છે.
શાંતિ નો કોઈ માર્ગ નથી શાંતિ પોતેજ માર્ગ છે.
જુઠું બોલનારો માણસ રોજ રેટિયો કાતે તોય તેનુ જીવન બેકાર છે.
સંધરવામાં આવેલી ઉષ્ણતા નું શક્તિ માં પરિવર્તન થવા પામે છે તેવીજ રીતે કાબુ માં રાખેલો ક્રોધ દુનિયા ને હલાવી નાખે તેવી તાકાત માં પલટી શકે છે.
જયારે મન માં સહેજ પણ શંકા આવે ત્યારે આપણે રોજરોજ રામાયણ માં વાચ્યું છે અને ભજનો માં ગાયુ છે એનો ખયાલ કરવો. 

અસત્ય અને હિંસા 
ખરે વખતે અભિપ્રાય આપવાનું ટાળી ને મોંન રાખવું એ પણ એક પ્રકાર નું અસત્ય જ ગણાય, એવું મોન આજકાલ ખાસું લોકપ્રિય છે .
ગાંધીજી ના અહિંસાના ઉચતમ આદર્શ સુધી જો આપણે  ન પહોચી શકીએ તો તે ગુનો નથી, ગુનો તો પોતાની પહોચ કરતા ધણી વધારે ઉંચી વાતો કરી ને જાત ને છેતરવામાં રહેલો છે .અન્ય ને છેતરવા માટે માણસે પ્રથમ પોતાની જાત ને છેતરવી પડતી હોઈ છે .
સતત જુઠું બોલવાથી ચામડીનો રંગ કાળો પડી જાય છે અને માનસિક તાણ ને લીધે હૃદય રોગ તેમેજ કેન્સર ના રોગો પણ થાય છે.
છેલ્લા બે દિવસ તમે કેટલું જુઠું બોલ્યા? એક પ્રયોગ કરવા જેવો છે.
સત્યવાદી બનવાની વાતતો બાજુ એ રહી લોકો ક્યારેક જરૂર વગર કેવળ ટેવ ને કારણે જુઠું બોલ્યે રાખે છે એમને pathological liers રોગીષ્ઠ જૂઠાઓ કહે છે
શું જુઠું બોલવું, તાણગ્રસ્ત હોવું, તબિયત બગડે એવો આહાર લેવો કે પછી દવાની ગોળીઓ લેવી એ આધુનિક હોવા ની નિશાની છે? વિચારવું પડશે, ખુબ વિચારવું પડશે.
એક જ અઠવાડિયા માટે જુઠું ન બોલવાનો સંકલ્પ કરો જોજો ભોય ભારે પડી જશે.
ભય ને કારણે જે ભગવાન ને ભજશે તે સેતાન આવે તો તેને પણ ભજશે.
આપણી પલાયનવૃત્તિ ને ઢાકવા માટે ગાંધીજીના નામ નો ભૂંડો દુરુપયોગ ન થવો જોઈએ.

સત્ય અને અહિંસા 
સાચું બોલવામાં કોઈ લાભ નથી એમ કરવાથી શત્રુ અને સમસ્યાઓ વધે છે.
ભૂલ કબુલ કરવાની તૈયારી વગર સત્ય ની ઉપાસના થઇ શક્તીનથી.
જર્મન ચિંતક ગોથ કહે છે કે, નુકશાનકારક જણાતું સત્ય પણ ઉપયોગી છે કારણ કે તે થોડાક સમય માટે જ નુકસાન કરે છે. પરંતુ લાભકારક જણાતી ભૂલ નુકસાનકારક છે.
આપનું હોવું એજ સત્ય છે, આપનું વ્યક્તિત્વ તકલાદી છે.
જેને કારણે મનને શાંતિ થાય અને આત્મા ને ટાઢક થાય તે સદગુણ કહેવાય.
ગાંધીજી પ્રભાવશાળી ન હતા એમનું સત્ય જ પ્રભાવશાળી હતું.
સત્યાગ્રહ એટલે સત્ય નો આગ્રહ.
સત્ય સંસ્કુતિ નો એ પાવનકારી પ્રવાહ પેહલા છેક ઋગ્વેદના કાલ થી શરુ થયો હતો અને રામ પછી પણ ચાલુ રહ્યો છે તેની પ્રતીતિ મહાત્મા ગાંધીએ વિશ્વ ને કરાવી.
સત્ય નું પાલન કરવાનો નિશ્ચય કરનારા માણસ એ પોતાના અંતરાત્મા ને જાણે કે મેગ્નીફાઈ ગ્લાસ વડે સતત અવલોકતા રહ્વું પડે છે, અસત્ય ને સાવ નાના નાના છીદ્રો વડે આપના મનોજગત માં પેસી જવાની કુટેવ હોઈ છે.
સત્યપાલન કરનારા મનુષ્યોનો પ્રભાવ પડે તેનું રહસ્ય શું? આપણને ઈલેક્ટ્રો મેગ્નેટીક ઇન્ડશન (વીજ ચુબકીય) પર શ્રધા છે, પણ સાઈકો સ્પિરિચુઅલ ઇન્ડશન(મનો આધ્યાત્મિક) પર એટલી શ્રધા નથી, સત્ય સ્વયમ એક પ્રકાર ની ઉર્જા છે ગાંધીજી એ સત્ય ઉર્જા નો પરિચય જગત ને પોતાની જીવન ચર્યા દ્વારા કરાવ્યો.
સત્યવચન નિર્ભયતા માંગે છે.
મહાવીર,સોક્રેટીસ,એરીસ્ટોટલ,પાયથાગોરસ,શેક્સપીયર,ન્યુટન,ગાંધીજી,ડાર્વિન,આઈનસ્ટાઇન ઈત્યાદી એ બધા શાકાહારી મહામાનવો હતા.
યુરોપ અને અમેરિકા નો માણસ શરાબ સેવન,પરસ્ત્રીગમન અને માંસાહાર કરે પણ વાતે વાતે જુઠું બોલતો નથી. 
સત્યને ભોગે સમાધાન કરે તે ગાંધી નહિ.
અહિંસા એટલે કેવળ બાહ્ય કે શારીરિક હિંસા જ ટાળવી એવું નથી આપણી ભીતર પડેલી હિંસાને પણ ટાળવાની છે, તમે કોઈ માણસ પર બંદુક ન ચલાવો તેટલું જ પુરતું નથી, તમે એને ધિક્કારો તે પણ ન ચાલે -માર્ટીન લ્યુથર કિંગ
જ્યાં અભય સિદ્ધ થાય ત્યાં અહિંસા સિદ્ધ થઇ જાય છે. 
રાવણ સામે જીતી શકાય તેમ નથી એટલું સમજવા જેટલી અક્કલ તો જટાયુ  માં હતી જ, છતાં તે નિર્ભયતા,પરાક્રમ અને ધર્મ રક્ષા માટે તત્પર હતો.
સત્યાગ્રહ શબ્દ માં સત્ય સાથે જોડાયેલા આગ્રહનું મહત્વ છે. 

કામવાસના (SEX)
કામવાસના સુંદર અને ઉદાત વસ્તુ છે, એમાં શરમાવા જેવું કશું  નથી, પણ એ કેવળ પ્રજોપતી માટે જ છે.  વિવાહિત સ્ત્રી -પુરુષ એકબીજાને ભાઈ-બહેન ગણતા થઇ જાય એટલે બધી જંજાળમાંથી તે મુક્ત થયા.
ગાંધીદ્રોહ તો પ્રતિક્ષણ સેકસ સામે બથોડીયા ભરતા રહી ને બ્રહ્મચર્ય ને દંભચર્યા માં ફેરવી નાખવામાં રહેલો છે. સેકસ ને શ્વાન ની માફક હડ હડ કરવાથી તે દુર થતી નથી, એમ કરવાથી સેકસ મન માં ઉત્પાત મચાવે છે.
ગાંધીજીને મેલા વિચારો આવ્યા તેને કારણે સ્વપ્નદોષ થયો તે વાત પણ મિત્રો ને કહી દીધી, પોતાની મર્યાદા પ્રગટ કરી દેવાની આવી ઉતાવળ ને કારણે તેઓ મહાત્મા બન્યા.
બહારથી બ્રહ્મચર્ય પાળનારો અંગત કક્ષાએ એકાંત માં જુદો હોઈ શકે છે, ટુકમાં આપણા ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોઈ છે.
ગાંધીજીના શબ્દો ધ્યાનપૂર્વક વાચવા જેવા છે તેઓ લખે છે :
નિદ્રામાં અનેક પ્રકારના વિચારો આવે, ને કોઈ વેળા આ જ દેહે કરેલી વસ્તુઓની વાસના પણ જાગે તે વિચાર જયારે મેલા હોઈ ત્યારે સ્વપ્નદોષ પણ થાય.
1901 માં ગાંધીજી એ સેકસ થી દુર રહેવાનો નિર્ણય લીધો અને 1906 માં બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું.
ગાંધીજીએ આહાર અંગે અનેક પ્રયોગો કર્યા, એમને સમજાયું કે આહાર અને કામવાસના વચ્ચે ધનિષ્ઠ સંબંધ રહેલો છે. પચવામાં ભારે અને મસાલેદાર ખોરાક અને દૂધ પણ જાતીય વૃતિ ને ઉશ્કેરે છે. નવરું મન સેકસ તરફ જલ્દી ખેચાય છે તેથી તેમણે સતત કાર્યપરાયણ રેહવાનું રાખ્યું.ઠંડે પાણી એ સ્નાન કરવાનું પણ એમને મદદરૂપ જણાયું.
એમને સમજાયું કે શરીરને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય તો કામવાસનાને બળ ન મળે, જો આપણને સમજી જાય કે પ્રજનન અવયવો કામવાસનાની પુરતી અર્થે નથી તો શું આપણું વલણ પૂરેપૂરું બદલાઈ ન જાય ?
ક્યારેક સ્ત્રીકાર્યકર એમની પથારી ની નજીક અથવા એકજ પથારી માં સુવાનું રાખતા.
સ્ત્રી ઓ સાથે સુવા ના  પ્રયોગો ખરેખર ભયંકર હતા, 1946 માં ગાંધીજી 19 વર્ષ ની મનુ સાથે નગ્નઅવસ્થામાં સુવા નો પ્રયોગ કરેલો.
ગાંધીજી એ પોતાના બ્રહ્મચર્યની ચકાસણી માટે જે પ્રયોગો કર્યા તેટલા તો સેકસને મનુષ્યના મહત્વના ચાલકબળ ગણનારા મનોવૈજ્ઞાની ફ્રોઈડએ  પણ નથી કર્યા , જીવનના છેલ્લા વર્ષમાં 78 વર્ષની ઉમરે પણ એમણે પોતાના બ્રહ્મચર્ય ને ચકાસી જોવાનું યોગ્ય ધાર્યું.
સેકસ તો ગંગા જેવી પવિત્ર બાબત છે પણ કોઈ મનુષ્ય ગંગાજળ માંથી શરાબ બનાવે તો ગંગાજળ નો શો વાંક?
ગાંધીજી વાસના ને માણસ ની નૈતિક પ્રગતિમાં અવરોધરૂપ મુકે છે. 
અમેરિકા માં સ્ત્રીઓના અધિકાર ની ઝુંબેશ કાલાવનારી શ્રીમતી માર્ગરેટે ગાંધીજી સાથે કરેલી વાતચીત:
ગાંધીજી: જો સ્ત્રીઓ વાસનાની ઈચ્છા પૂરી કરવા માટે પાસે આવતા પતિઓને ના પડવાનું શીખી જાય તો ભારતમાં અમારે માટે જન્મ નિયંત્રણની કોઈ સમસ્યા નહિ આવે
માર્ગરેટ: એવો પણ સમય આવે છે જયારે પતિની માફક પત્નીઓ ને પણ સંભોગ ની ઈચ્છા જાગે, તમે પ્રેમમય સેક્સ (sex-love) અને વાસનામય સેક્સ (sex-lust) વચ્ચે નો તફાવત જોઈ નથી શકતા ?
ગાંધીજી:  એ તફાવત ખરો પરંતુ સેક્સ વાસનામય બની જાય છે, જયારે તમે તમારા સંતોષ માટે જ પ્રેમ કરો છો, એ જ વાત આહાર ને પણ લાગુ પડે છે, જો કેવળ સ્વાદ માણવા માટે જ આહાર લો, તો તે પણ વાસના (lust) જ ગણાય. 
1936 માં ગાંધીજી મુંબઈમાં સારવાર લઇ રહ્યા હતા ત્યાં તેમને તીવ્ર કામવાસના થઇ  અને 1938 માં એમને ખરાબ સ્વપ્ન આવ્યું અને અંતે વીર્ય સ્ત્રાવ પણ થયો આ વિષે તેમને હરીજન અખબારમાં પણ લખ્યું.

ગાંધીજી રાજી રાજી 
ગાંધીજીની કેટલીક વાતો જો મારે ગળે ન ઉતરે તો કરવું શું ? જો હું મારી બુદ્ધી ન સ્વીકારે તેવી વાતો પણ મહાત્મા પ્રત્યેના અહોભાવ ને કારણે સ્વીકારી લઉં તો જાત ને છેતરી ગણાય.
મહામાનવ ને છેતરવાના બે રસ્તા 1) એમની બધીજ વાતો આંખ મીચી ને સ્વીકારવી અને 2) એમની કોઈ પણ વાત ન સ્વીકારવી, એ બન્ને માર્ગો ગાંધીજી ને મંજુર ના હતા, એમને પોતે પણ પોતાને ગળે ન ઉતરે તેવા કોઈ  વિચારોનો સ્વીકાર કર્યો ન હતો.
સારું વાંચન, સારા વિચારો અને સુંદર જીવન ! ગાંધીજી રાજી રાજી !
તેઓ એકાદ હાજાર વર્ષો પછી આવ્યા છે, શું આપણે એમને ફરી થી ખાલી હાથે પાછા મોકલી દઈશું ?
પોતાની રાઈ જેવડી પણ ભૂલ ને હિમાલય જેવડી ગણનારા મહાત્મા પ્રત્યે, હિમાલય જેવડી ભૂલો કરનારા આપણે  કેટલા અનુદાર થઈશું. 
કેટલાક મહામાનવો પોતાના જીવનકાળ દરમ્યાન કશુક એવું કરતા ગયા જેને દુનિયા ભૂલી ન શકે
જે માણસ પોતાના વ્યક્તિત્વ કરતા પોતાના અસ્તિત્વ નો વધારે આદર કરે તે મહાત્મા કેહવાય.
દહેજ લેવાનો ઇનકાર કરનારા યુવાનોનો પ્રભાવ લાંબે ગાળે પડતોજ હોઈ છે, ક્યારેક એ યુવાન માઈક્રો ગાંધી બની રહે છે.

સામાન્ય માણસ અને ગાંધીજી 
શું સામાન્ય માણસ ગાંધીજી ને અનુસરી શકે ખરો?
તે માટે ના પગથીયા
- જ્યાં ગેરલાભ ની શક્યતા ન હોઈ , ત્યાં સાચું બોલવું.
- ગેરલાભ થાય તોયે સત્ય ન છોડવું.
- કપટરહિત થઇ ને સત્યના પક્ષે ઉભા રહેવું.  
સત્ય ને માર્ગે ચાલનારા સામાન્ય માણસો એના ક્ષેત્ર માં પ્રભાવ પડતો હોઈ છે, એ માણસ મજુર હોઈ તોય "પ્રભાવશાળી મજુર" હોઈ છે.
આપણે જે છીએ તે મટી ને જે નથી તે બની ને રહીએ છે તે પણ મૃત્યુ નો એક પ્રકાર જ છે.
જે ઉપદેશ આપે તેને ધર્મગુરુ અને જે ઉપદેશ ને આચરણ માં મુકે તેને સામાન્ય માણસ માનવો.
સમાજ ને બે બાબત ની જરૂર છે :
- સત્ય  નો પક્ષ લેવાની તાકાત.
- અસત્ય નો પ્રતિકાર કરવાની તાકાત .
આપણે પણ નાના નાના અન્યાયો અને છુટક છુટક ચાલતા રોજીંદા ભ્રષ્ટાચાર સામે લડી શકીએ.

ગાંધીજી પોતે 
તેઓએ સોનાના કડાની ચોરી કરેલી, માંસાહાર કરેલો, વેશ્યાગૃહે પણ ગયેલા, પેહલીવાર કેસ લડતા તેમના પગ ધ્રુજતા હતા , આવો માણસ મહાત્મા થઇ  શકે? પણ તે મોહન માંથી મહાત્મા થયા.
ગાંધીજી અઠવાડિયે એક દિવસ મોંન પાળતા.
સત્ય ની મારી શોધમાં મેં ઘણા વિચારો નો ત્યાગ કર્યો છે.
મેં જે અભિપ્રાયો બાંધ્યા છે અને જે નિર્ણયો પર હું આવ્યો છુ તે છેવટ ના નથી હું એ કાલે બદલું પણ ખરો -1936
મારી વાત ખોટી હોઈ શકે અને સામેવાળા ની વાત સાચી હોઈ શકે.
 ગાંધીજી કાર્યક્રમ માં એક મિનીટ પણ મોડું થાય તે સહન કરતા ન હતા.
હું મને મંદબુદ્ધી માનું છે, ઘણી વસ્તુ મને બીજાઓના કરતા સમજતા વાર લાગે છે પણ એની મને ચિંતા નથી.
જીવનની છેલી ક્ષણ સુધી તેઓ યુવાન રહ્યા હતા.
મારા ધર્મ પ્રત્યે નો મારો પ્રેમ બીજાઓના પોતાના ધર્મ પ્રત્યેના પ્રેમને સમજતા મને શીખવે છે .
રામાયણ તો આપનો ખોરાક છે એની ભાષા એટલી મીઠી છે કે હું તેનાથી કદી ધરાતો જ નથી.
જયારે કોઈ હત્યાકાંડ કે બનાવ બને ત્યારે ગાંધીજી પોતે ઉપવાસ કરતા તે કેહતા કે હું મન થી પોતાને ભારત નો પ્રતિનિધિ માનું છે, સમગ્ર ભારત વતી હું પ્શ્યાતાપ ન કરું તો મારું પ્રતિનિધિત્વ લજ્વાશે.
ગાંધીજી: રાતના ઓરડામાં ફાનસ રહે છે મને વિચાર આવ્યો કે તેની ઉપર પાણી ભરી ને ટમલર મૂકી રાખું તો પાણી સવાર સુધીમાં ગરમ થઇ રેહશે, એટલા કોલસા બચ્યા. 
ગાંધીજી ને સમજવાની ખરી ચાવી રામ ને સમજવામાં રહેલી છે.
તેઓ શરૂઆત થી મહાન ન હતા પરંતુ સત્યઉર્જા એકઠી થતી રહી તેથી તેઓ મોહન માંથી મહાત્મા બની શક્યા.
સત્ય એજ પરમેશ્વર
ગાંધીજી કોણ હતા તેની સોને ખબર હોય, પરંતુ ગાંધીજી શું હતા તેની ખબર બહુ ઓછા લોકો ને હોઈ 
તેમણે ઘણું ખોયું પણ ચારિત્ય ન ખોયું.
સામાન્ય માણસ પાસે થી અસામાન્ય કામ લેવાની ગજબ ની તાકાત મહાત્મા ગાંધી માં હતી.
ગરીબીના બે પ્રકાર:
પ્રથમ પ્રકારની ગરીબી માણસ ને ક્રૂર અને હિંસક બનાવે છે.
બીજા પ્રકારની ગરીબી માનવીય છે અને તેને તો સખત પરિશ્રમ કરી ને હરાવી શકાય છે .
આપણા સમાજ માં જે ગંદકી કરે તે ખાનદાન ગણાય અને જે ગંદકી સાફ કરે તે નીચો ગણાય.
બધા દેશો માં સરકાર પાસે લશ્કર હોઈ છે પરંતુ પાકિસ્તાન માં લશ્કર પાસે સરકાર હોઈ છે
ગાંધીજીની વ્યથા ના કારણો:
- કોમી રમખાણો મથતી કત્લેઆમ
- ભારત પાકિસ્તાન વાછેની શત્રુતા
- નહેરુ અને સરદાર વચ્ચે ના મતભેદો
- સરદાર અને મોલાના વચ્ચે ના મતભેદો
- દેશ માં અન્ન ની કટોકટી
- કોગ્રેસીઓ વચ્ચે સત્તા ની હરીફાઈ
- ભ્રષ્ટાચાર
માણસ બીજાનો આદર ન કરે તે સમજાય, પરંતુ એ પોતાના અસ્તિત્વ નો આદર ન કરે તે તો ભારે ખોટ નો ધંધો ગણાય.

લોકો નો પ્રતિભાવ 
સીતોતેર વર્ષના યુવાન ને મળવું તે હમેશા આનંદજનક અને પ્રેરણાદાઈ હોઈ છે તેમને મળ્યા પછી કઈક અંશે વધારે યુવાન અને સબળ હોવાનો આપણને અનુભવ થાય છે અને આપણે વહન કરતા હોઈએ એ બોજો થોડો હળવો થયેલો લાગે છે. નેહરુ
ગાંધીજીએ પોતાના સત્યમુલ્ક પ્રભાવ થી કેવા કેવા માનવ રત્નો ને પોતાની આસપાસ ભેગા કર્યા હતા,કૃપાલાનીજી  એમાના  એક હતા અને એમના શબ્દો: ગાંધીજી નો અંધકાર પણ આપના પ્રકાશ કરતા વધુ ઉજ્જવળ હતો.
પૃથ્વી પર ક્યારેક આટલી દુર્બળ કાયામાં આટલો પ્રબળ આત્માવિશ્વાસ વસ્યો હશે ખરો? - ગુણવંત શાહ
માનવતા ને થયું કે એવરેસ્ટ નું આરોહણ કરું ગાંધીજી એ એ ઈચ્છા પૂરી કરી -ગુણવંત શાહ
જીવન માં હું ધુમ્રપાન, શરાબસેવન અને માંસાહાર થી દુર રહ્યો તે માટે કેવળ ગાંધીબાપુ જવાબદાર છે
ગાંધીજીએ ધણા માણસો ની ઊંઘ માં ખલેલે પોહચાડી છે હું એમાનો એક સામાન્ય આદમી છું.
કોઈને મારે 1253 અને 75 પૈસા આપવાના બાકી હોઈ તો એ રકમ ચુકવું  નહિ ત્યાં સુધી મને ચેન ન પડે પણ જો મારે કોઈની પાસે થી લેવાના હોઈ તો બેચેની પણ ન રહે પરંતુ યાદ રાખી ને કોઈ રકમ આપી જાય તો તેના પ્રત્યેનો આદર વધી જાય  ક્યારેક ન છુટકે જુઠું બોલવાનું બન્યું છે આવું બને ત્યારે  દિવસભર ખટકો રહે આવું ન બને તે અંગે ની પૂરી જાગૃતિ પછી પણ ક્યારેક અસત્ય ઓચરાઈ  જાય છે .
જો હું એ વસ્તુ નું સર્જન નથી કરી શકતો તો એને મારી નાખવાનો મને કોઈ અધિકાર નથી.
ગાંધીજી ગોંતમ  બુદ્ધ પછીના શ્રેષ્ટતમ ભારતીય હતા અને ઇસુ ખ્રિસ્ત પછીના શ્રેષ્ટમાનવ હતા - ઈ એમ ફોસ્ટર 

હું 
મારી જાણ બહાર એ મને સાથ અને વિચાર આપતા હતા અને આપે છે  He inspired me unknowingly
આ લખતી વખતે મારા હૃદય પર  ગાંધીજીએ કબજો જમાવ્યો છે માટે હું જવાબદાર નથી ગાંધીજી જવાબદાર છે.
મહાત્મા ગાંધીની ચપલને વળગેલી રજકણ બરાબર પણ હું નથી.

(બધીજ છબીઓ http://www.kathiyavad.com પર થી મુકવામાં આવી છે)